
મીઠાઈ ખાવાનું કોને ન ગમે? આપણે ભારતીયો મીઠાઈ ખાવાની એક પણ તક છોડતા નથી. કેટલાક લોકોના દિવસની શરૂઆત ચાની મીઠાશથી થાય છે. મીઠાઈ ખાવાનું દરેકને ગમે છે, પરંતુ ખાંડનું વધુ પડતું સેવન સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયની સમસ્યાઓ જેવા ઘણા રોગોનું કારણ બની શકે છે. હવે આપણે મીઠાઈ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી શકતા નથી, તો શા માટે આપણે સ્વાદ સાથે સમાધાન કરવાને બદલે સ્વસ્થ વિકલ્પ પસંદ ન કરીએ. અહીં તમને કેટલાક આવા કુદરતી અને સ્વસ્થ વિકલ્પો વિશે જણાવશું જેનો ઉપયોગ તમે ખાંડની જગ્યાએ કરી શકો છો અને તમારા સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને જાળવી શકો છો.
ખાંડને બદલે મધનો ઉપયોગ કરો
ખાંડને બદલે મધનો ઉપયોગ કરવો એ ખૂબ જ સ્વસ્થ વિકલ્પ હોઈ શકે છે. મધ એક જૂનું અને વિશ્વસનીય કુદરતી સ્વીટનર છે. તે એન્ટીઑકિસડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણથી ભરપૂર છે. તમે દૂધ, ચા, બ્રેડ કે મીઠાઈમાં મધનો ઉપયોગ કરી શકો છો. જોકે, મધનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેને ક્યારેય ગરમ ન કરો, કારણ કે તેને ગરમ કરવાથી તેના બધા પોષક તત્વો નાશ પામે છે.
ગોળ પણ એક સ્વસ્થ વિકલ્પ
ખાંડને બદલે ગોળનો ઉપયોગ સ્વસ્થ વિકલ્પ તરીકે પણ થઈ શકે છે. આજે પણ ગોળનો ઉપયોગ મોટાભાગે ગામડાઓમાં થાય છે. શેરડીના રસ અથવા ખજૂરમાંથી બનાવેલ ગોળ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તેમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગોળ પાચનક્રિયા સુધારે છે. જોકે, ગોળની તાસીર ગરમ હોય છે, તેથી ઉનાળામાં વધુ પડતો ગોળ ખાવાનું ટાળવું જોઈએ. તમે ચા, ખીર કે રોટલી સાથે ગોળ ખાઈ શકો છો.
ખાંડને બદલે નાળિયેર ખાંડનો ઉપયોગ
નારિયેળની ખાંડ નારિયેળના ફળના રસમાંથી બનાવવામાં આવે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ એ છે કે તે બ્લડ શુગર ઝડપથી વધારતું નથી. આ ઉપરાંત તેમાં આયર્ન, ઝીંક, પોટેશિયમ અને ઇન્યુલિન નામનું ફાઇબર પણ હોય છે, જે પાચનમાં મદદ કરે છે. તે સામાન્ય ખાંડ જેવું લાગે છે પણ તેનો સ્વાદ થોડો મીઠો છે.
ખજૂર પણ ફાયદાકારક
કેટલાક લોકો ખાંડને બદલે ખજૂરનો પણ ઉપયોગ કરે છે. ખજૂર પોતે જ એક મીઠી અને પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવી કુદરતી શર્કરાથી ભરપૂર છે, સાથે જ ફાઇબર, આયર્ન અને ઘણા પ્રકારના વિટામિન પણ છે. તમે ખજૂરનો ઉપયોગ સ્મૂધી, શેક અથવા મીઠાઈમાં કરી શકો છો. બેકિંગમાં ખાંડની જગ્યાએ ખજૂરની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં