મુંબઇના વિલે પાર્લેમાં 90 વર્ષ જૂના દિગંબર જૈન મંદિરને BMC દ્વારા તોડવાની કાર્યવાહી વિરૂદ્ધ જૈન સમાજમાં ભારે રોષ છે. 16 એપ્રિલે મુંબઇના વિલેપાર્લે વિસ્તારમાં આવેલા એક જૈન મંદિર પર BMCએ તોડી નાખ્યુ હતુ. આ કાર્યવાહી વિરૂદ્ધ જૈન સમાજના લોકોએ સવારે સાડા 9 વાગ્યે સાઇલન્ટ માર્ચ કાઢ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો સામેલ થયા હતા.

