IPL 2025 પછી, ટીમ ઈન્ડિયાએ 5 ટેસ્ટની સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત મે મહિનામાં જ થવાની છે. પરંતુ, તે પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અંગે ટીમ ઈન્ડિયાના નિર્ણય સાથે સંબંધિત છે. એવા સમાચાર આવ્યા છે કે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ બુમરાહ (Jasprit Bumrah) ને સોંપવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે તે ટીમનો વાઈસ-કેપ્ટન પણ નહીં રહે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેની પાસેથી ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ-કેપ્ટનની પદ છીનવી લેવામાં આવશે.

