કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચેના વાક્યુદ્ધમાં હવે આપ નેતા પ્રવીણ રામે કાંતિભાઈ અમૃતિયાને સણસણતો જવાબ આપ્યો છે. કાંતિભાઈ અમૃતિયાના આમ આદમી પાર્ટીએ ઉપાડો લીધો છે તે નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારના ઉપાડા કાંતિલાલ અમૃતિયાને યાદ કરાવ્યા હતા.

