અવિસ્મરણીય અભિનેત્રી મીનાકુમારીના જીવન પર આધારિત એક ફિલ્મ દિગ્દર્શક સિદ્ધાર્થ પી. મલ્હોત્રા બનાવવામાં છે અને તેમાં મીનાકુમારીની ભૂમિકા માટે કિયારા અડવાણીની પસંદગી થઈ ચૂકી છે એવા મતલબના ઘણા અહેવાલો છેલ્લા કેટલાક દિવસથી અખબારોમાં ચમકી રહ્યા છે. આ અંગે સ્પષ્ટતા કરવા મીડિયાએ સિદ્ધાર્થ પી. મલ્હોત્રાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મીનાકુમારીના પ્રિયજન અને ફિલ્મમેકર એવા કમાલ અમરોહીની ભૂમિકા કોને આપવી એ નિર્ણય હું પહેલાં લઈશ અને એ પછી મીનાકુમારી કોને બનાવવી તેનો નિર્ણય લેવામાં આવશે.

