
નેઈલ એક્સટેન્શનને સામાન્ય રીતે કૃત્રિમ નખ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજકાલ તે સ્ત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. નખ લાંબા અને આકર્ષક બનાવવાની આ એક સરળ રીત બની ગઈ છે. નેઈલ એક્સટેન્શનમાં એક્રેલિક નખનો ઉપયોગ થાય છે, જે ફક્ત થોડા દિવસો માટે જ ટકે છે.
આ પ્રક્રિયામાં, તમારા મૂળ નખ પર એક્રેલિકના નકલી નખ લગાવવામાં આવે છે. આ પછી નખને આકાર આપવામાં આવે છે. પછી નેઈલ પેઈન્ટ લગાવવામાં આવે છે. આ પછી, ફાઈબર ગ્લાસ અને જેલ કોટિંગનો ઉપયોગ કરીને નખને ચમક આપીને મજબૂત બનાવવામાં આવે છે. પરંતુ નખને સ્ટાઇલિશ અને આકર્ષક બનાવવાના આ ટ્રેન્ડની આડઅસરો પણ છે.
નખ નબળા પડવા
નેઈલ એક્સટેન્શન પછી, મૂળ નખ દબાણ હેઠળ આવે છે અને નબળા પડી જાય છે. એક્સટેન્શન દરમિયાન ગ્લુ અને અન્ય કેમિકલનો ઉપયોગ થાય છે. આના કારણે કુદરતી નખ તૂટવા લાગે છે અને તેમના વિકાસ પર પણ અસર પડે છે.
ઈન્ફેકશન થઈ શકે છે
જો નેઈલ એક્સટેન્શન યોગ્ય રીતે ન કરવામાં આવે અથવા નખની સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો ઈન્ફેકશનનું જોખમ વધી શકે છે. આ પ્રક્રિયામાં, બેક્ટેરિયા નખમાં પ્રવેશી શકે છે, જે ઈન્ફેકશનનું કારણ બની શકે છે. ચેપને કારણે નખમાં સોજો, દુખાવો અને લાલાશ થઈ શકે છે.
ક્યુટિકલ્સ ડ્રાય થઈ શકે છે
નેઈલ એક્સટેન્શનને કારણે, નખની આસપાસની ત્વચા પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી, તેને વધુ કાળજીની જરૂર પડે છે. આનાથી ક્યુટિકલ્સ ડ્રાય થઈ શકે છે. આના કારણે ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
નખનો રંગ બદલી શકે છે
ક્યારેક નેઈલ એક્સટેન્શન પછી નખનો રંગ બદલાઈ શકે છે. જો નેઈલ એક્સટેન્શન યોગ્ય રીતે કરવામાં ન આવે તો, નખનો કુદરતી રંગ બગડી શકે છે. વધુમાં, ક્યારેક નખ પર પીળા ડાઘ દેખાઈ શકે છે, જે એક્સટેન્શનમાં વપરાતા ગ્લુ અને અન્ય કેમિકલને કારણે હોઈ શકે છે.