
સતત ત્રણ મેચ જીત્યા બાદ, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની જીતનો સિલસિલો CSK દ્વારા રોકી દેવામાં આવ્યો હતો. એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, CSK એ LSGને 5 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 166 રન બનાવ્યા હતા. જવાબમાં, CSKનો સ્કોર 15 ઓવરમાં 5 વિકેટે 111 રન હતો.
સ્પિન બોલરો માટે પિચ મદદરૂપ હતી, છતાં લખનૌ 3 બોલ બાકી રહેતા 5 વિકેટથી મેચ હારી ગયું. રિષભ પંત (Rishabh Pant) એ રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) પાસે મેચમાં ચાર ઓવરનો સ્પેલ નહતો પૂરો કરાવ્યો. પંત (Rishabh Pant) એ તેની જગ્યાએ આવેશ ખાન અને શાર્દુલ ઠાકુરમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. મેચ પછી, બિશ્નોઈ (Ravi Bishnoi) એ હવે આ નિર્ણય અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
રવિ બિશ્નોઈએ પંતના નિર્ણય પર નિવેદન આપ્યું
મેચ પછી, રવિ બિશ્નોઈએ કહ્યું કે, તેણે પંત સાથે ડેથ ઓવરમાં બોલિંગ કરવાની તક આપવા અંગે વાત નહતી કરી, પરંતુ તે પિચ પર ગયો હતો અને તેને આશા હતી કે કેપ્ટન તેને જોશે અને તેને બોલ સોંપશે. પણ આવું ન થયું.
રવિ બિશ્નોઈએ કહ્યું, "મેં ખરેખર (પંત સાથે) આ વિશે વાત નથી કરી, પરંતુ હું ઘણી વાર પિચ પાસે ગયો અને મને લાગે છે કે તેની પાસે એવી યોજનાઓ હતી જેનો તે અમલ કરવા માંગતો હતો." તેણે આગળ કહ્યું, "આવી સ્થિતિમાં, કેપ્ટન સારી સ્થિતિમાં હોય છે અને તે વિકેટકીપિંગ પણ કરે છે, તેથી તે વસ્તુઓને વધુ સારી રીતે સમજે છે. મારા મતે, તેણે તે નિર્ણય લીધો જે તેને વધુ સારો લાગ્યો."
CSK સામેની હાર બાદ રિષભ પંતે શું કહ્યું?
CSK સામેની હાર બાદ, પંત (Rishabh Pant) એ કહ્યું કે, તેણે ઘણા ખેલાડીઓ સાથે ચર્ચા કરી, પરંતુ તે તેને (Ravi Bishnoi) વધુ આગળ ન લઈ જઈ શક્યો. તેણે કહ્યું, "આજે બિશ્નોઈ 4 ઓવરનો પોતાનો સ્પેલ પૂર્ણ ન કરી શક્યો. પાવરપ્લેમાં બોલિંગ કરવી અમારા માટે ચિંતાનો વિષય રહ્યો છે, પરંતુ અમે પરિસ્થિતિ પાછી લાવી શકીએ છીએ. એક ટીમ તરીકે અમે દરેક મેચમાંથી સકારાત્મક બાબતો મેળવવા માંગીએ છીએ અને અમે સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."