Mahisagar news: મહીસાગર જિલ્લામાં આવેલા કડાણાના તત્કાલીન નાયબ મામલતદાર જે. જે. પંડ્યા સામે અડધા દિવસમાં 357 દાખલા ઈસ્યૂ કરતા ફરજ પર બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. તત્કાલીન નાયબ મામલતદાર જે જે પંડ્યા દ્વારા પુરવઠા મામલતદાર હોવા છતાં મામલતદાર રજા પર હોય અને તેમને મહેસૂલનો ચાર્જ મળતા હોદ્દાનો દુરુપયોગ કરી અને અનુસૂચિત જનજાતિના 357 દાખલા આપી દીધા હતા જેથી કડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

