Home / Entertainment : Manoj Kumar's mortal remains brought to his residence

નિવાસસ્થાન પર લાવવામાં આવ્યો મનોજ કુમારનો પાર્થિવ દેહ, રાજકીય સન્માન સાથે આપવામાં આવશે વિદાય

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ 2-3 અઠવાડિયાથી બીમાર હતા. તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે 3:30 વાગ્યે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે મનોજ કુમારના અંતિમ સંસ્કાર આજે એટલે કે શનિવારે સવારે કરવામાં આવશે. મનોજના અંતિમ સંસ્કાર સવારે 11:30 વાગ્યે વિલે પાર્લેમાં નાણાવટી હોસ્પિટલની સામે પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મનોજ કુમારને વર્ષ 1992માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. મનોજ કુમારના પાર્થિવ દેહને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલથી તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે. અહીં ઘણા લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે.

TOPICS: manoj kumar
Related News

Icon