હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ 2-3 અઠવાડિયાથી બીમાર હતા. તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે 3:30 વાગ્યે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે મનોજ કુમારના અંતિમ સંસ્કાર આજે એટલે કે શનિવારે સવારે કરવામાં આવશે. મનોજના અંતિમ સંસ્કાર સવારે 11:30 વાગ્યે વિલે પાર્લેમાં નાણાવટી હોસ્પિટલની સામે પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

