સુરતના કામરેજ વિસ્તારમાં આજે સવારે એક હચમચાવતી ઘટના સામે આવી છે. ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાંથી ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા છે. પોલીસે ઘટનાને હૃદયદ્રાવક ઘટનાની સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાંથી એક જ પરિવારના 3 લોકોના મોતથી આ ઘટનાને દુર્ઘટનાની સાથે સાથે સામૂહિક આપઘાતની દ્રષ્ટીએ પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ગતરોજ સુરતથી પરિવાર નીકળ્યું હતું. શેરબજારમાં પૈસા ગુમાવ્યા બાદ આર્થિક સંકડામણ અનુભવતાં આપઘાત કરી લીધો હતો.

