ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakraborty) એ ICCના નિયમો સામે અવાજ ઉઠાવ્યો છે. તેનું માનવું છે કે વિકેટકીપર દ્વારા કરવામાં આવેલી ભૂલની સજા બોલરને શા માટે મળવી જોઈએ. વરુણ ચક્રવર્તીએ આ મુદ્દો ઉઠાવ્યો છે, જેમાં વિકેટકીપરના ગ્લોવ્સ સ્ટમ્પની બહાર જાય છે, તો બોલને 'નો બોલ' જાહેર કરવામાં આવે છે. વરુણ ચક્રવર્તી (Varun Chakraborty) એ આ નિયમ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું છે કે આવા નિયમોમાં ફેરફાર થવો જોઈએ.

