ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ 20 જૂનથી શરૂ થશે. આ સિરીઝ માટે BCCI એ 18 ખેલાડીઓની સ્કવોડ પહેલેથી જ જાહેર કરી દીધી છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રિષભ પંત વાઈસ-કેપ્ટન છે. કરુણ નાયરની 8 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. અર્શદીપ સિંહ અને સાઈ સુદર્શનને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.

