ઈંગ્લેન્ડની સામેની બીજી ટેસ્ટમાં બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપતા ભારતની બીજી ટેસ્ટ જીતવાની આશા થોડી વધી ગઈ છે. એક સમયે ટીમ ઈન્ડિયાના 587 રન સામે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 387 રન હતો. હેરી બ્રુક (158) અને જેમી સ્મિથ (184*) ની બેટિંગ જોઈને એવું લાગતું હતું કે યજમાન ટીમ ભારતના સ્કોરની ખૂબ નજીક પહોંચી જશે, પરંતુ પછી સિરાજે આવીને પોતાની બોલિંગથી તબાહી મચાવી અને ઈંગ્લેન્ડની ટીમને 407 રનના સ્કોર પર અટકાવી દીધી.

