નડિયાદ પાલિકામાં 2014માં થયેલી ભરતી કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. ભરતી કૌભાંડમાં કાર્યવાહી કરવા માટે પાલિકાને સરકારે આદેશ કર્યો હતો છતાં પણ તત્કાલિન સત્તાવાળાઓએ કૌભાંડમાં સામલે બોગસ ભરતી કરીને કર્મચારીને કાયમી કરી દેવાયા હતા. બોગસ ભરતી મામલે પ્રાદેશિક કમિશનરે બોગસ ભરતી મામલે આખરી નિર્ણય લેવા નડિયાદ મહાનગર પાલિકાના કમિશનરને રેકર્ડ સાથે દસ્તાવેજ મોકલ્યાના 18 દિવસ થયા છે તેમ છતાં કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં અવી રહ્યો છે.

