VIDEO: રાજકોટ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ જે રીતે રોડ-રસ્તાની સ્થિતિ કથળી છે તેને લઈ બીજું કોઈ નહિ પરંતુ ભાજપના નેતાએ જ ભારે વિરોધ કર્યો છે. સત્તા પક્ષ ભાજપના જ અગ્રણી નેતા એવા નરેન્દ્ર રાઠાડો રોડ-રસ્તાના સમારકામ નહિ થાય તો ઉપવાસની ચીમકી આપી છે. વિપક્ષ વિરોધ કરે તે પહેલા ભાજપના નેતાએ ઉપવાસ આંદોલનની ચીમકીથી વિપક્ષને પણ મુદ્દો મળી ગયો છે.

