પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશના લોકોમાં ગુસ્સો છે. તેઓ પાકિસ્તાન અને આતંકવાદ સામે બદલો લેવા માંગે છે. આ દરમિયાન, પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમને ભારત બોલાવવાના મુદ્દા પર સોશિયલ મીડિયા પર નીરજ ચોપરા (Neeraj Chopra) ને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હવે તેણે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે મારી પ્રામાણિકતા પર સવાલ ઉઠતા જોઈને દુઃખ થાય છે.

