આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરતાં વિકસીત ગુજરાતમાં શિશુ મૃત્યુદર વધુ છે. રાજ્યમાં સરકારી યોજનાઓના માધ્યમથી બાળમૃત્યુ દર ઘટાડવા માટે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યુ છે તેમ છતાંય ચોક્કસ પરિણામ મળી શક્યુ નથી. સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના રિપોર્ટમાં એવો ખુલાસો કે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં 70 હજાર નવજાત શિશુઓ મોતને ભેટ્યાં છે. આંકડાઓ પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે, રાજ્યમાં દર મહિને સરેરાશ એકાદ હજાર શિશુઓના મોત થઈ રહ્યાં છે.

