Pahalgam attack: મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ભાષા બનાવવાના વિરોધમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક મંચ પર આવવાને લઈને ભાજપે મોટા પ્રહાર કર્યા છે. રાજ્ય મંત્રી આશીષ શેલારે રવિવારે કહ્યું કે, આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને તેમને ધર્મ પૂછીને નિશાન બનાવ્યા હતા. જ્યારે રાજ્યમાં ભાષાઓના આધાર પર હુમલા કરવામાં આવી રહ્યા છે તે નિરાશાજનક છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હોવાના નાતે ભાજપ મરાઠી લોકોના સન્માનની રક્ષા કરશે અને બિન-મરાઠી લોકોની પણ રક્ષા કરશે.

