જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ પડોશી દેશ ગભરાટમાં છે. આ દરમિયાન, પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને કડક ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ અમારું પાણી પૂરું પાડવાનું બંધ કરે તો યુદ્ધ માટે તૈયાર રહે. અમે ગૌરી, શાહીન, ગઝનવી અને ૧૩૦ પરમાણુ શસ્ત્રો ફક્ત ભારત માટે રાખ્યા છે. તેમનું ધ્યાન ભારત તરફ છે.

