Home / Lifestyle / Relationship : Do not scold children even by mistake at these 3 times

Parenting Tips / બાળકોને આ ૩ સમયે ભૂલથી પણ ન આપો ઠપકો, તેમના પર પડે છે ખરાબ અસર

Parenting Tips / બાળકોને આ ૩ સમયે ભૂલથી પણ ન આપો ઠપકો, તેમના પર પડે છે ખરાબ અસર

બાળકોનું મન ખૂબ જ નરમ હોય છે, આવી સ્થિતિમાં ક્યારેક થોડી કડકાઈ પણ તેમના પર ઊંડી અસર કરે છે. આજની બદલાતી જીવનશૈલી અને સ્ટેટસ પસંદ દુનિયામાં, વધુ કાળજી લેવાની જરૂર છે, કારણ કે દરેક નાની-નાની વાત બાળક પર અસર કરે છે. પહેલાના સમયમાં માતા-પિતા દ્વારા બાળકોને માર મારવા અને ઠપકો આપવો એકદમ સામાન્ય હતો, પરંતુ આજના સમયમાં એવું નથી. હવે બાળકો પર આગળ વધવાનું દબાણ પણ પહેલાની સરખામણીમાં ઘણું વધી ગયું છે, તેથી પેરેન્ટિંગની પદ્ધતિઓમાં ફેરફાર થવો સ્વાભાવિક છે. નવા સમયના પેરેન્ટિંગમાં કહેવામાં આવે છે કે શક્ય તેટલું, બાળકને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમને માર મારવાનું કે તેમની સાથે ખૂબ કડક વર્તન કરવાનું ટાળવું જોઈએ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જો બાળકો તણાવમાં હોય, તો તેમના શારીરિક વિકાસમાં અવરોધની સાથે, તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર પણ અસર પડે છે. તેઓ ચીડિયા થઈ શકે છે અને પોતાના વિચારો શેર કરવાથી દૂર રહેવાને કારણે, તેઓ તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓથી ઘેરાઈ શકે છે. ચાલો જાણીએ તે 3 સમય વિશે જ્યારે બાળકોને ઠપકો આપવાથી તેમના પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

સવારે ઉઠ્યા પછી ઠપકો ન આપો

સવારે ઉઠ્યા પછી, પુખ્ત વયના લોકોને પણ ક્યારેક કોઈની સાથે વાત કરવાનું મન નથી થતું. સવારની શરૂઆત આપણા આખા દિવસના મૂડને અસર કરે છે, તેથી સવારનો સમય શાંતિ અને ખુશીથી ભરેલો હોવો જોઈએ. સવારે, શાળાએ જવાની ઉતાવળમાં, લોકો બાળકોને બળજબરીથી જગાડે છે અને આ સમય દરમિયાન તેઓ ઘણી વખત તેમની પર ગુસ્સો પણ કરે છે, પરંતુ આ સમય સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ સમયે તેમને ઠપકો આપવાને બદલે તેમને પ્રેમથી જગાડો.

શાળાએથી પાછા આવ્યા પછી ઠપકો ન આપો

બાળકો શાળાએથી પાછા આવે ત્યારે, ઘણા માતા-પિતાને તરત જ પ્રશ્નો પૂછવાની આદત હોય છે જેમ કે તેણે આજે શાળામાં શું અભ્યાસ કર્યો, તેને શું હોમવર્ક મળ્યું છે વગેરે અથવા તો જોઈ બાળકોની કોઈ ફરિયાદ આવી હોય તો માતા-પિતા તરત જ ઠપકો આપવા લાગે છે. પરંતુ આવા પ્રશ્નો અથવા ઠપકો બાળકોને પરેશાન કરી શકે છે, કારણ કે તે સમયે તે ખૂબ થાકેલા હોય છે. શાળાએથી પાછા આવ્યા પછી, બાળકોને ફ્રેશ થયા પછી ભોજન અથવા નાસ્તો આપો અને ત્યારબાદ શાંતિથી તેના દિવસ અંગે પૂછો.

રાત્રે સૂતી વખતે ઠપકો ન આપો

બાળકોના વિકાસમાં ઊંઘ એક મોટું પરિબળ છે. જો તમારું બાળક મોડી રાત સુધી જાગતું રહે છે અથવા સૂતી વખતે તણાવમાં રહે છે, તો તેના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પડી શકે છે, તેથી બાળકને હંમેશા પ્રેમથી સૂવડાવવું જોઈએ અને આ સમયે ઠપકો આપવાની ભૂલ ન કરો.

Related News

Icon