Blackout: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તા સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી હતી, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થયું હતું. જો કે, ફરીથી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યું છે.

