પોરબંદરના કોલીખડા ગામ નજીક ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. વેરાવળથી દ્વારકા જતા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

