હનુમાન જયંતિ (Hanuman Jayanti) દર વર્ષે ચૈત્ર માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે મારુતિ નંદનની પૂજા શ્રદ્ધા ભાવથી કરવામાં આવે છે. હનુમાન જયંતિની (Hanuman Jayanti) ઉજવણી માટે મંદિરોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. હનુમાન જન્મોત્સવના દિવસે રામચરિતમાનસ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જે પણ ભક્તો આ દિવસે આ પાઠ કરે છે તેના પરિવાર પર બજરંગબલીની વિશેષ કૃપા વરસે છે. આ વર્ષે હનુમાન જયંતિનો તહેવાર ખૂબ જ શુભ યોગમાં ઉજવવામાં આવી રહી છે. તો અહીં જાણો યોગ અને પૂજાના શુભ મુહૂર્ત વિશે...

