Rajkot News: રાજકોટ જેતપુર હાઇવમાં ટ્રાફિક અને ખાડાને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન આવ્યું છે. કુલ 18 બ્રિજનું કામ ચાલુ છે તેમજ 12 ક્રેન મુકવામાં આવી છે. રાજકોટથી જેતપુર વચ્ચે 14 જેટલા ડાઈવર્ઝન રાખવામાં આવ્યા છે. હાઇવે પર ત્રણ બ્રિજ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. હાલમાં પ્રશ્ન મુદ્દે કોંગ્રેસના નેતાઓએ રજુઆત કરી છે. નેશનલ હાઇવે ઓથોરીટી અને જિલ્લા પોલીસવડા સાથે વાત કરી છે. ટ્રાફિક ન થાય તે માટે ડાઈવર્ઝન નજીક ટ્રાફિક માર્શલ મૂકવામાં આવશે. વરસાદ વિરામ લેશે તો રોડના ખાડાઓ રિપેર કરવામાં આવશે.

