ગુજરાતમાં ઉનાળાની ઋતુએ માઝા મૂકી છે. ગુજરાતવાસીઓએ ભયંકર ગરમી અને તાપને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોએ ગરમીના કારણે બહારનું નિકળવાનું ટાળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ગઈ કાલો 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો રાજકોટમાં 46.2 ડિગ્રી તાપમાન. એવામાં ગુજરાતમાં વિવિધ સ્થળો પર ગરમીથી રાહત મેળવવા લોકો અવનવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

