Randhir Jaiswal On Muhammad Yunus : ભારત બાંગ્લાદેશને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યું હોવાના મોહમ્મદ યુનુસના દાવાને લઈને વિદેશ મંત્રાલય ખુલાસો કર્યો છે. ગુરુવારે (29 મે) મીડિયા બ્રિફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'બાંગ્લાદેશ દ્વારા ભારત પર લગાવેલા આરોપો મુખ્ય મુદ્દામાંથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે. જ્યાં સુધી ત્યાની સરકારનો સવાલ છે, તો કાયદો વ્યવસ્થા અને શાસન સંબંધિત બાબતોને સંભાળની શકતા ન હોવાથી તેઓ આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે.'

