ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને નિરાશ કર્યું છે. વિરાટે પોતાના 14 વર્ષના ટેસ્ટ કરિયરમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી, પરંતુ અચાનક નિવૃત્તિ લેવાના તેના નિર્ણયથી બધા ચોંકી ગયા હતા. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

