રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? જોકે, આ અંગે શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહના નામ આગળ આવી રહ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ટીમ ઈન્ડિયાને નવા ટેસ્ટ કેપ્ટનની જરૂર છે. હવે, નવા કેપ્ટન અંગે, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અનુભવી ખેલાડી રવિચંદ્રન અશ્વિને શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ પહેલા બીજા ખેલાડીનું નામ સૂચવ્યું છે.

