Home / Religion : Surya Dev is called the king of all planets.

સૂર્ય કરશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકો પર તૂટી પડશે દુ:ખનો પહાડ

સૂર્ય કરશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકો પર તૂટી પડશે દુ:ખનો પહાડ

સૂર્યદેવને તમામ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યને એક રાશિથી બીજી રાશિમાં જવામાં લગભગ 1 મહિનાનો સમય લાગે છે. સાથે જ સૂર્ય જ્યારે પણ ગોચર કરે છે તો તેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશ-દુનિયા પર પણ બદલાવ જોવા મળે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વળી, સૂર્ય દેવ 2 દિવસ બાદ એટલે કે, 16 જુલાએ સાંજે 5:17 મિનિટે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરવાના છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. જ્યારે પણ સૂર્ય-ચંદ્રનું મિલન થાય તો અમાસનો યોગ નિર્માણ થાય છે અને સૂર્ય-ચંદ્રની યુતિ અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે, સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી કઈ રાશિને નુકસાન થશે. 

મેષઃ

સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે અશુભ માનવામાં આવે છે. મેષ રાશિના જાતકોને પ્રોપર્ટ સાથે જોડાયેલા નુકસાનનો સામનો કરવો પડી છે. માનસિક તણાવ વધી શકે છે. આ સિવાય પરિવાર સાથે પણ વિવાદ થઈ શકે છે. 

મિથુનઃ 

સૂર્યદેવનું ગોચર મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ નથી માનવામાં આવતું. તેમના આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી છે. આ સિવાય નાણાંકીય કોઈપણ બાબતે ગેરજવાબદારી ન દાખવવી.

વૃશ્ચિકઃ 

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય ગોચર અશુભ માનવામાં આવે છે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. મહેનત કરશો પરંતુ તેનું પરિણામ ધાર્યા જેવું નહીં આવે, આ સિવાય આર્થિક કાર્યોમાં પણ નુકસાન થઈ શકે છે. 

કન્યાઃ 

કન્યા રાશિના જાતકો માટે આ પરિવર્તન લાભકારી માનવામાં નથી આવતું, આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને કોઈ નવા કાર્યની શરૂઆત ભૂલથી પણ આ સમય દરમિયાન ન કરવી. આ સિવાય કોઈપણ રોકાણ કરવાથી બચો. 

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

 

Related News

Icon