2020માં ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી પહેલી વાર વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે ગયા છે. અહીં તેઓ SCO કોન્ફરન્સ 2025 (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) માં ભાગ લેવા ગયા છે. ઉપરાંત, જયશંકરની મુલાકાતનો હેતુ શાંતિ અને સ્થિરતા સાથે સરહદી વિવાદોનું નિરાકરણ લાવવાનો, વેપાર અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે વેપાર, સરહદ વિવાદથી લઈને શાંતિ પુનઃસ્થાપન સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

