એલિયન એટલે કે બાહ્યાવકાશી જીવોમાં માનવજાતને હંમેશથી વિશેષ રસ રહ્યો છે. વિશાળ બ્રહ્માંડમાં એકમાત્ર આપણી પૃથ્વી પર જ જીવન ખીલ્યું હોય, એવું માની લેવાનું કોઈ કારણ નથી. એની સાબિતીરૂપ શોધો અવારનવાર થતી રહે છે. તાજેતરમાં આવી જ એક શોધ સામે આવી છે. ભારતીયો માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે એ શોધનું શ્રેય એક ભારતીય વિજ્ઞાનીને મળી રહ્યું છે.

