સમાજવાદી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ ત્રણ બાગી ધારાસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. આ ધારાસભ્યોમાં ગોસાઈગંજથી અભય સિંહ, ગૌરીગંજથી રાકેશ પ્રતાપ સિંહ અને ઊંચહારથી મનોજ કુમાર પાંડેનો સમાવેશ થાય છે. પાર્ટીએ આ ધારાસભ્યો પર સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપવાનો તેમજ ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, યુવા વિરોધી, પાર્ટી વિરોધી અને વ્યવસાય વિરોધી નીતિઓને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે.

