Home / World : Indian astronaut Shubhaanshu Shukla's Axiom-4 space mission postponed again

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 અવકાશ મિશન ફરી ટાળવામાં આવ્યું, જાણો શું છે કારણ

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 અવકાશ મિશન ફરી ટાળવામાં આવ્યું, જાણો શું છે કારણ

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું  Axiom-4  મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. 'સ્ટેટિક ફાયર' પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન પ્રવાહી ઓક્સિજન (LOx) લીકેજ મળી આવ્યા બાદ મિશનને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 શુભાંશુ શુક્લાનું  Axiom-4  મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું 

આ મિશન હેઠળ, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ISS મોકલવાના હતા. સ્પેસએક્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે નિર્ધારિત Axiom-4 મિશનના પ્રક્ષેપણને મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. શુભાંશુને લઈને Axiom-4 મિશન બુધવારે સાંજે 5.30 વાગ્યે લોન્ચ થવાનું હતું.Axiom-4   મિશનમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ શામેલ છે.

Axiom-4 મિશન માટે ફાલ્કન 9 રોકેટનું  લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું

સ્પેસએક્સે X પર પોસ્ટ કરી, લખ્યું કે Axiom-4 મિશન માટે ફાલ્કન 9 રોકેટનું આવતીકાલનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવી રહ્યું છે જેથી સ્પેસએક્સ ટીમો LOx લીકને ઠીક કરી શકે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે નવી લોન્ચ તારીખ સમારકામ પૂર્ણ થયા પછી અને રેન્જની ઉપલબ્ધતાના આધારે શેર કરવામાં આવશે.

શુભાંશુને 2023 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન Axiom-4 મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ મિશન ભારત અને નાસા વચ્ચેના સહયોગનું પરિણામ છે. શુભાંશુએ સ્પેસએક્સ અને એક્સિઓમ સ્પેસ પાસેથી ખાસ તાલીમ લીધી છે.આ ચોથી વખત છે જ્યારે એક્સિઓમ-4 મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા લોન્ચ પણ મુલતવી રાખવું પડ્યું હતું. તે સમયે હવામાન અનુકૂળ ન હતું અને વરસાદની શક્યતા ૪૫ ટકા હતી. લોન્ચ સાઇટ પર ભારે પવન ફૂંકાયો હોવાના અહેવાલ છે.

એકવાર લોન્ચ થયા પછી,Axiom-4 મિશન હેઠળ અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લગભગ 14 દિવસ વિતાવશે. આ સમય દરમિયાન, તેઓ સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ, જીવન વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન સંબંધિત ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. આ પ્રયોગો વિશ્વભરના 30 થી વધુ દેશોના સંશોધકોના સહયોગથી હાથ ધરવામાં આવશે.આ મિશન ભારતના અવકાશ કાર્યક્રમમાં એક સીમાચિહ્નરૂપ તો છે જ, સાથે સાથે આપણને રાકેશ શર્માના ૧૯૮૪ના ઐતિહાસિક મિશનની યાદ પણ અપાવે છે. શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન છે અને ગગનયાન કાર્યક્રમના ચાર અવકાશયાત્રીઓમાંના એક છે.

Related News

Icon