ભારતીય ટીમના સ્ટાર કેપ્ટન અને દેશ માટે ત્રણ ICC ટ્રોફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોની હવે ફક્ત IPL રમે છે. દરેક IPLમાં ધોનીના નિવૃત્તિના સમાચાર આવે છે, પરંતુ એવું થતું નથી. જોકે, શનિવારે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કેટલાક સંકેતો મળ્યા હતા જેના પરથી એવું લાગી રહ્યું છે કે આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે.

