Home / Sports : Indian test team's record on England soil

IND vs ENG / ઈંગ્લેન્ડની ધરતી પર આવો છે ભારતીય ટીમનો રેકોર્ડ, અત્યાર સુધી જીતી છે માત્ર આટલી જ ટેસ્ટ

IND vs ENG / ઈંગ્લેન્ડની ધરતી પર આવો છે ભારતીય ટીમનો રેકોર્ડ, અત્યાર સુધી જીતી છે માત્ર આટલી જ ટેસ્ટ

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે, જ્યાં ઈન્ડિયા-A અને સિનિયર ટીમ વચ્ચે એક અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પછી, 20 જૂનથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ સાથે એક નવા યુગની શરૂઆત થશે. શુભમન ગિલ પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. ભારત 2007થી ઈંગ્લેન્ડની ધરતી પર એક પણ ટેસ્ટ સિરીઝ નથી જીતી શક્યું. આવી સ્થિતિમાં, તેના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમ સિરીઝ જીતવા પર નજર રાખશે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો નથી અને ટીમે અહીં ફક્ત 9 ટેસ્ટ મેચ જીતી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટમાં ભારતીય ટીમનો રેકોર્ડ 

ભારતીય ટીમર અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડની ધરતી પર કુલ 67 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ટીમે 9 જીતી છે અને 36 હારી છે. જ્યારે 22 મેચ ડ્રો થઈ છે. રેકોર્ડ્સ પર નજર નાખતા, એમ કહી શકાય કે ભારતીય ટીમને હંમેશા ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.

2007માં દ્રવિડની કેપ્ટનશિપમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી

ભારતે 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારથી, 2011, 2014 અને 2018માં, ભારતીય ટીમને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2021-22માં રમાયેલી સિરીઝ 2-2થી ડ્રો રહી હતી.

ઝહીર ખાન હીરો બન્યો

વર્ષ 2007માં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી, જેમાં સિરીઝની પહેલી અને છેલ્લી મેચ ડ્રો રહી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચમાં, ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી અને આ મેચમાં ઝહીર ખાન ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે કુલ 9 વિકેટ લીધી હતી. તેના કારણે જ ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી શકી હતી.

યુવા ખભા પર જીતની જવાબદારી

રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે ટીમની કમાન યુવા ખેલાડીઓના હાથમાં છે. શુભમન ગિલ ટીમનો કેપ્ટન છે અને રિષભ પંતને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. અર્શદીપ સિંહ અને સાઈ સુદર્શન જેવા ખેલાડીઓને પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કરુણ નાયર 8 વર્ષ પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને કેએલ રાહુલે રન બનાવવાની જવાબદારી લેવી પડશે.

Related News

Icon