ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની ચોથી મેચ શનિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને યજમાન ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે વિના વિકટે 15.2 ઓવરમાં 153 રનનો ટાર્ગેટ પાર પાડીને વિજય મેળવ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ જીતી લીધી છે.

