ભારતના T20 કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પોસ્ટના કેપ્શનમાં ઈમોશનલ મેસેજ લખી સૂર્યકુમારે તેને મળેલા પ્રેમ અને સમર્થન માટે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રીલંકા પ્રવાસ માટે રોહિત શર્માની જગ્યાએ સૂર્યકુમારને ભારતનો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

