
વર્તમાન IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની સ્થિતિ ખરાબ છે. બુધવારે, SRHને તેના હોમ ગ્રાઉન્ડ, રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 26 બોલ બાકી રહેતા 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પેટ કમિન્સની આગેવાની હેઠળની SRHની 8 મેચમાં આ છઠ્ઠી હાર હતી અને તેઓ IPL 2025 પોઈન્ટ્સ ટેબલમાં ફક્ત 2 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. SRHનો આગામી મુકાબલો શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે થશે. જો ઓરેન્જ આર્મી તે મેચ હારી જાય છે, તો તે પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને જશે.
જોકે, ખરાબ પ્રદર્શન વચ્ચે, એ જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે SRH પાસે હજુ પણ IPL 2025ના પ્લેઓફમાં સ્થાન મેળવવાની તક છે કે નહીં. ચાલો આ સમીકરણને સરળતાથી સમજીએ.
પ્લેઓફ સમીકરણ
તમને જણાવી દઈએ કે SRH IPL 2024માં ફાઈનલમાં પહોંચ્યું હતું. પરંતુ આ વર્ષે પ્લેઓફમાં સ્થાન મેળવવાની તેની આશા નબળી પડી ગઈ છે. જો SRH ને પ્લેઓફમાં સ્થાન મેળવવું હોય, તો તેણે તેની બાકીની બધી મેચ જીતવી પડશે જેથી તે 16 પોઈન્ટ સાથે ટોપ ચારમાં સ્થાન મેળવી શકે.
તમને જણાવી દઈએ કે પ્લેઓફ ક્વોલિફિકેશન માટે 16 પોઈન્ટ સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, ગઈ IPL સિઝનમાં ટીમો 14 પોઈન્ટ સાથે પણ ક્વોલિફાય થઈ હતી. IPL 2024માં જોવા મળ્યું હતું, જ્યારે RCB એ સાત જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.
અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે
જો SRH પણ 14 પોઈન્ટ મેળવવામાં સફળ થાય છે, તો તેણે અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે અને પોતાની નેટ રન રેટ ઊંચી રાખવી પડશે. સરળ વાત એ છે કે SRH તેની આગામી બધી મેચ જીતી લે છે અને કોઈપણ જોખમ વિના પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે.
MI એ IPL 2025માં સતત ચોથી જીત નોંધાવી અને 10 પોઈન્ટ સાથે, તે પોન્ત્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. MIની વર્તમાન IPLમાં શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ તેમણે પોતાની લય શોધી લીધી છે અને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જાળવી રાખી છે.