Home / Gujarat / Surat : expressing dreams of becoming doctors and engineers, from IAS to MBA

બોર્ડની પરીક્ષામાં Surati વિદ્યાર્થીઓ ઝળક્યા, IASથી લઈને MBA સહિત ડોક્ટર અને એન્જિનિયર બનવાના વ્યક્ત કર્યા સપનાં

બોર્ડની પરીક્ષામાં Surati વિદ્યાર્થીઓ ઝળક્યા, IASથી લઈને MBA સહિત ડોક્ટર અને એન્જિનિયર બનવાના વ્યક્ત કર્યા સપનાં

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લાએ એકવાર ફરીથી શૈક્ષણિક મેદાનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સુરત જિલ્લાનું કુલ પરિણામ 93.97 ટકા નોંધાયું છે, જે રાજ્યના ટોચના જિલ્લાઓમાં સુરતને સ્થાન આપે છે. ત્યારે સુરતમાં સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓએ પરિશ્રમને જ પારસમણી બનાવીને સફળતા પ્રાપ્ત કરી છે. એ-1 ગ્રેડ મેળવીને પરિવારનું તથા શાળાઓનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને આગામી સમયમાં આઈએએસથી લઈને એમબીએ બનવાના સપનાં હોવાની સાથે સાયન્સ સ્ટ્રીના વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજકેટમાં 99.99 પીઆર મેળવ્યા

નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતાં ભીકડિયા શુભ અશ્વિનભાઈએ બોર્ડની પરીક્ષામાં 98.76 પીઆર મેળવવાની સાથે સાથે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવતી રાજ્ય સરકારની ગુજકેટમાં 120માંથી 115 ગુણ એટલે કે, 99.99 પીઆર પ્રાપ્ત કર્યા છે. શુભને આગામી સમયમાં એન્જિનિયરિંગ લાઈનમાં આગળ વધીને સીએસ બનવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું. ટેક્સટાઈલના કામકાજ સાથે સંકળાયેલા પિતાના પુત્ર યશને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયાએ કહ્યું કે, શાળામાં ચાર સ્તંભ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં 9 જેટલા વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયાં છે.

રત્નકલાકારોની દીકરીઓએ વગાડ્યો ડંકો

મોટા વરાછા અબ્રામા રોડ પર આવેલી સંસ્કાર તિર્થ શાળામાં અભ્યાસ કરતી વઘાસિયા કાવ્યા પ્રકાશભાઈને સાયન્સમાં 99.97 પીઆર પ્રાપ્ત થયા છે. રોજન છથી સાત કલાક તૈયારી કરતી હતી. પિતા હીરા અને માતા હાઉસવાઈફ તરીકે કામ કરે છે. તેણીને એ ગ્રુપમાં ગુજકેટમાં 113 જેટલા માર્ક પ્રાપ્ત થયા છે. આગામી સમયમાં તેણી એન્જિનિયરિંગ લાઈનમાં આગળ વધવા ઈચ્છે છે. સામાન્ય પ્રવાહમાં કોમર્સ સાથે 12 પાસ કરનારી ભાલોડિયા હસ્તીના પિતા હીરા ઘસવાનું કામ કરે છે. હસ્તીને 99.99 પીઆર સાથે 97.71 ટકા પ્રાપ્ત થયા છે. તેણીને આગામી સમયમાં એમબીએ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 10 સુધી અભ્યાસ કરનાર આયુષભાઈએ કહ્યું કે, મારે બે દીકરીઓ છે બન્ને એ-1 સાથે પાસ થઈ છે. શાળા વતી દીપકભાઈ ભડિયાદરાએ કહ્યું કે, શાળામાં અત્યાધુનિક સુવિધાઓથી અભ્યાસ કરાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ ભાર વગરનું ભણતર ભણીને આ પ્રકારની સારી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થયા છે.

મૌની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી 65 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ 

ઉત્તરાણ વિસ્તારમાં આવેલી મૌની ઈન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય પ્રવાહના 59 વિદ્યાર્થીઓને એ-1ગ્રેડ પ્રાપ્ત થયો હતો. જ્યારે સાયન્સ સ્ટ્રીમમાંથી 6 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. હીરાના કારખાનામાં કામ કરતાં પિતાનો દીકરો રાછડિયા સ્મીત હિતેશભાઈ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણે રોજની મહેનત કરી હોવાથી 99.20 ટકા પ્રાપ્ત કર્યા છે. તેને આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાળાના ટ્રસ્ટી જે.બી.પટેલે કહ્યું કે, આ સમગ્ર પરિણામ શાળાના યોગ્ય મેનેજમેન્ટની સાથે સાથે શિક્ષકોના અથાક પ્રયાસ અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે.

રેડિયન્ટના વિદ્યાર્થીઓએ માર્યું મેદાન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડની પરિક્ષામાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં A1 માં 16 વિદ્યાર્થી  સાથે 100% પરિણામ તેમજ ગુજકેટ માં ૧૧૧.૨૫ માર્ક સાથે સફળતા મેળવી છે. 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા અને 12 કોમર્સના પરિણામમાં 09 વિદ્યાર્થીઓએ A1 અને 37 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કર્યો છે. શાળાના કુલ ૫૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા જેમાં ૧૨  સાયન્સ માં ૧૯ વિદ્યાર્થી અને ૧૨ કોમર્સમાં ૩૭ વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યા હતા. આ ઉપરાંત ૧ વિદ્યાર્થીએ ૧૧૦ થી વધુ માર્ક ગુજકેટ પરિક્ષામાં મેળવ્યા હતા.

એલપી સવાણીના વિદ્યાર્થીઓ ઝળક્યાં

એલ.પી. સવાણી ગ્રુપ સ્કુલ્સનું શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. HSC (વાણિજ્ય પ્રવાહ)  પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓએ અત્યંત શાનદાર પરિણામો આપી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં A1 ગ્રેડ: 32 વિદ્યાર્થી, A2 ગ્રેડ: 121 વિદ્યાર્થી, B1 ગ્રેડ: 181 વિદ્યાર્થી જ્યારે શાળાના અનેક વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ હાંસલ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી સિદ્ધિ દર્શાવી છે.શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઈસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી, ડિરેક્ટર પૂર્વીબેન સવાણી તેમજ તમામ સંચાલકમંડળ, આચાર્યગણ અને શિક્ષકમિત્રોએ આ શૈક્ષણિક સિદ્ધિ માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

મિતાલીએ 99.91 પર્સેન્ટાઈલ રેન્ક મેળવ્યાં

સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કુલ, અડાજણ, સુરતમાં પ્રથમ ક્રમાંક જેસાની મિતાલી હરેશ (99.91 -પર્સન્ટાઈલ રેન્ક), દ્વિતીય ક્રમાંક શર્મા સાહિલ સંજય (99.39 -પર્સન્ટાઈલ રેન્ક ), તથા તૃતીય ક્રમાંક પટેલ રિધ્ધિ નરેશકુમાર (98.28 -પર્સન્ટાઈલ રેન્ક) મેળવીને શાળાનું નામ ગૌરવાન્વિત કર્યુ છે. AI અને A2 મળીને એકવીસ વિદ્યાર્થીઓ તેમજ B1 અને B2 મળીને ચાળીસ વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. શર્મા સાહિલ એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા. તેમજ જેસાની મિતાલી આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ અને અર્થશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કર્યા છે. નામાના મૂળતત્વો, અર્થશાસ્ત્ર, કોમ્પ્યુટર, સેક્રેટરીઅલ પ્રેકટીસ, અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દી આ તમામ વિષયમા શાળાએ ૧૦૦% પરિણામ મેળવ્યુ. તેમજ શાળાનું પરિણામ ૯૬.૪૩% આવ્યુ છે. શાળાના ટ્રસ્ટી બી.વી.એસ. રાવ સર, સુશીલા મેડમ, પ્રિન્સીપાલ ધન્યા મેડમ, એડમિનિસ્ટ્રેટર  ડેવિડસર તથા શાળાના શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

 

100માંથી 100 ગુણ મેળવનારા વિદ્યાર્થી વધ્યા

 ધોરણ  -12 સામાન્ય પ્રવાહમાં પુણાગામ વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત નાલંદા વિદ્યાલયમાં A1 ગ્રેડમાં 09 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં 18 વિદ્યાર્થીઓ એ ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 93.07 %જ્યારે શાળાનું પરિણામ 94.55% આવેલ છે. વિદ્યાર્થીઓએ 100  ગુણ મેળવેલ છે. આંકડાશાસ્ત્ર માં 07 વિધાર્થીઓએ 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. વાણિજ્ય વ્યવસ્થામાં 03 વિધાર્થીઓએ 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. સેક્રેટરી એન્ડ પ્રેક્ટિસમાં 01 વિધાર્થીએ 100 ગુણ પ્રાપ્ત કર્યા છે.

સિંગલ મધરની દીકરી ઝળકી

એકલા હાથે દીકરીને ઉછેરનાર દ્રષ્ટિની દીકરી પ્રાચી ધોરણ 12ના પરિણામમાં સફળતા પ્રાપ્ત કરી છે. ઝળહળતી સફળતા મેળવનારી પ્રાચીએ કહ્યું કે, આગામી સમયમાં બીસીએ કરવાની ઈચ્છા છે. સાથે જ જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરીને દેશ સેવા માટે કંઈક કરવા ઈચ્છું છું. કલાસ વન ઓફિસર તરીકે આગામી સમયમાં પણ અત્યારની જેમ જ રોજની સાત કલાકથી વધુ મહેનત કરતી રહીશે. માતાએ ખૂબ સંઘર્ષ કરીને મને ભણાવી છે. ત્યારે આગામી સમયમાં હું મારી સાથે તેના પણ સપનાં પૂર્ણ કરીશ.

ઈલેક્ટ્રિશિયનની દીકરી ઝળકી

તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓનું જળહળતું પરિણામ આવ્યું હતું સાયન્સ વિભાગમાં કુલ 13 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી જ્યારે 14 જેટલા વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયો હતો જ્યારે સામાન્ય પ્રવાહમાં કુલ 53 જેટલા વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો હતો ત્યારે 162 જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવવામાં સફળ થયા હતા. તમામ વિદ્યાર્થીઓ માટે સ્નેહા ના પિતા ઈલેક્ટ્રીક ફીટીંગ નું કામ કરે ગુજરાત ચલાવે છે ત્યારે આ દીકરીએ 99.95 પ્રાપ્ત કરીને પિતા તથા શાળાનું નામ રોશન કર્યું છે સ્નેહાને આગળની સમયમાં ઉચ્ચ અભ્યાસ કરીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા છે.

માતા ગુમાવી મહારથ હાંસલ કરી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના બોર્ડ ના રિઝલ્ટ માં પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના ટોટલ 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પી. પી. સવાણી સ્કુલ્સનું નામ રોશન કરેલ છે.જેમાંથી નીચેના 4 વિદ્યાર્થીઓએ અસામાન્ય સ્થિતિમાં પર મહેનત કરી ને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ સારું એવું પરિણામ હાસલ કરેલ છે.વિજ્ઞાનપ્રવાહ નો વિદ્યાર્થી જોશી કરણ મુકેશભાઈ. ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી વખતે તેમની માતાનું  કેન્સરના કારણે દુખદ અવસાન થયેલું તેમ છતાં નિરાશ કે હતાશ થયા વગર પોતાની નિરંતર મહેનતથી ધોરણ-૧૨ માં ઉતમોતમ પરિણામથી સુરતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.    

100માંથી 100 ગુણ મેળવ્યા

સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય વેડરોડ સુરતના A1 ગ્રેડમાં 15 અને A2 ગ્રેડમાં 51 તેમજ B1 ગ્રેડમાં 81 અને B2 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.વિદ્યાર્થી દેસાઈ કાવ્ય મનોજભાઈએ 99.87 PR સાથે શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે,જેમાં વાણિજય વ્યવસ્થામાં- 4, એકાઉન્ટમાં-5 અને આંકડાશાસ્ત્રમાં–3 વિદ્યાર્થીઓએ 100/100 ગુણ પ્રાપ્ત કરેલ છે.

Related News

Icon