સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટાન સામે આવી રહી છે જેમાં આંગણવાડી કેન્દ્રમાં સડેલા ચણાને ભોજનમાં આપવાનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકો તથા સગર્ભા મહિલાને ભોજનમાં આપવામાં આવતા ચણા સડેલા હોવાને મુદ્દે હોબાળો મચ્યો હતો.

