Tahawwur Rana: ભારત સરકારે આતંકવાદ સામે મોટી સફળતા મેળવી છે. મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા જલદી અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. સૂત્રોએ માહિતી આપી છે કે, ભારતની વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમો અમેરિકા ગઈ છે અને ત્યાં તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં આતંકવાદી Tahawwur Hussain Rana મુદ્દે એક મોટી બેઠક પણ ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર છે.

