ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂન 2025થી હેડિંગ્લી, લીડ્સ ખાતે 5 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝ અંગે ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ગયા મહિને કરવામાં આવી હતી. રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રિષભ પંતને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, ઈંગ્લેન્ડમાં સિરીઝ રમવા જતા પહેલા, કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે BCCI મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણા મહત્ત્વપૂર્ણ સંકેતો આપીને પ્લેઈંગ ઈલેવનનું ચિત્ર ઘણી હદ સુધી સ્પષ્ટ કર્યું છે.

