Home / Sports / Hindi : Shubman Gill gave clarification on why did he argued with the umpire

અમ્પાયર સાથે કેમ થઈ Shubman Gillની માથાકૂટ? મેચ બાદ ખેલાડીએ પોતે જણાવ્યું કારણ

અમ્પાયર સાથે કેમ થઈ Shubman Gillની માથાકૂટ? મેચ બાદ ખેલાડીએ પોતે જણાવ્યું કારણ

શુભમન ગિલ (Shubman Gill) ની કેપ્ટનશિપ હેઠળ, ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમે IPL 2025 સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે 10માંથી 7 મેચ જીતી છે અને તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની સંપૂર્ણ અપેક્ષા રાખી શકાય છે. 2 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં GTની ટીમે 38 રનથી જીત મેળવી હતી, પરંતુ આ મેચમાં GTની જીત કરતાં વધુ ચર્ચા તેના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) ની છે, અમ્પાયરના નિર્ણયને કારણે મેચમાં બે વાર ભડક્યો હતો. આ અંગે ગિલે મેચ પછી પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શુભમને શું કહ્યું?

SRH સામેની મેચ પછી શુભમન ગિલ (Shubman Gill) એ અમ્પાયર સાથેની પોતાની માથાકૂટ વિશે એક નિવેદન પણ આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે, "મારી અને અમ્પાયર વચ્ચે થોડી ચર્ચા થઈ હતી. ક્યારેક જ્યારે તમે તમારું 100 ટકા આપવાનો પ્રયાસ કરો છો, ત્યારે તેમાં ઘણી બધી લાગણીઓ સામેલ હોય છે. કેટલીક લાગણીઓ સામે આવે તે સ્વાભાવિક છે." ગિલે પોતાની ટીમના પ્રદર્શન વિશે કહ્યું, "અમે ઓછા ડોટ બોલ રમવાની અંગે કોઈ પ્લાનિંગ નહતી કરી, અમે ફક્ત આ સિઝનમાં જે રીતે રમી રહ્યા છીએ તે રીતે રમવાનું ચાલુ રાખવા માંગીએ છીએ. અમને ખબર હતી કે કાળી માટીની પીચ પર છગ્ગા મારવા સહેલા નથી, પરંતુ અમારો ટોપ ઓર્ડરે જે રીતે રમ્યા તેનાથી અમારા માટે સ્કોરબોર્ડને આગળ વધારવાનું થોડું સરળ બન્યું. મને ખુશી છે કે અમે આ મેદાન પર અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહ્યા."

ગિલે સારી ફિલ્ડિંગના વખાણ કર્યા

IPL 2025 સિઝનમાં GTની ફિલ્ડિંગ અત્યાર સુધી અપેક્ષા મુજબની નહતી રહી. આ અંગે, SRH સામેની મેચ બાદ શુભમન ગિલ (Shubman Gill) એ પોતાના નિવેદનમાં કહ્યું કે, "ફિલ્ડિંગ એવી વસ્તુ છે જેના વિશે અમે દરેક મેચ પછી વાત કરીએ છીએ, કારણ કે અત્યાર સુધી અમે આ બાબતમાં એવરેજ સાબિત થયા છીએ, પરંતુ મને ખુશી છે કે અમે આ મેચમાં વધુ સારી ફિલ્ડિંગ કરવામાં સફળ રહ્યા."

Related News

Icon