
ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર એક ઈમોશલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે જણાવ્યું કે તાજેતરના સમયમાં તે ક્યાં હતી અને કયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તેણે કહ્યું કે તે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય નહોતી કારણ કે તેની સાથે કેટલીક બાબતો બરાબર ચાલી રહી ન હતી. તેને વારંવાર રિજેક્શનનો સામનો કરવો પડી રહ્યો હતો.
ઉર્ફી જાવેદે લખ્યું, “હું છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાથી દૂર હતી. કંઈપણ અપલોડ કરી રહી ન હતી. હું ક્યાંય જોવામાં મળી રહી નથી, કારણ કે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતીં. મેં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ અજમાવી, પણ દર વખતે મને રિજેક્શનનો સામનો કરવો પડ્યો. મને ઈન્ડે વાઇલ્ડ દ્વારા કાન્સ જવાની તક પણ મળી, પરંતુ કમનસીબે... મારો વિઝા રિજેક્ટ થઈ ગયો. હું કેટલાક મનોરંજક આઉટફિટ આઈડિયા પર કામ કરી રહી હતી, પરંતુ વિઝા રિજેક્ટ થયા પછી હું અને મારી ટીમ ખૂબ નિરાશ થયા.”
ઉર્ફીએ આગળ લખ્યું, "કદાચ મારી જેમ તમે પણ આ સમયે રિજેક્ટનો સામનો કરી રહ્યા હશો. જો તમારી સાથે પણ આવું કંઈક બન્યું હોય, તો મને કહો. #rejected સાથે તમારી વાર્તા શેર કરો અને મને ટેગ કરો. હું તમારી વાર્તા મારી ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરીશ જેથી લોકો પ્રેરિત થાય."
ઉર્ફીએ આગળ લખ્યું, "રિજેક્શન પછી ભાંગી પડવું અને રડવું એકદમ સામાન્ય છે, અને હું પોતે પણ રડું છું. પણ પછી શું થાય છે? જો તમે ધ્યાનથી જુઓ તો, દરેક રિજેક્શન પાછળ એક તક છુપાયેલી હોય છે - આપણે ફક્ત તે જોવાની જરૂર છે. મેં મારા જીવનમાં ઘણા રિજેક્શનનો સામનો કર્યો છે, પરંતુ તેમ છતાં હું અટકી નહીં - તમારે પણ રોકાવું જોઈએ નહીં."