Anand News: આણંદ પાદરા ગંભીરા બ્રિજ તૂટવાને મામલે હવે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે. ગંભીર બ્રિજ તૂટતા નોકરીમાં જવા અને આવવા માટે છ કલાકનો વધારાનો સમય લાગી રહ્યો છે. આણંદ-વડોદરાને જોડતો અન્ય સિંધરોટ બ્રિજ પણ સાવચેતીના ભાગ રૂપે બંધ કરાયો છે. સમયના વેડફાટને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. જેથી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે.

