સુરતમાં 3 દિવસથી અરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખાડીઓના પાણી સોસાયટીમાં ઘુસી ગયા છે. ત્યારે નનસાડ રોડ કામરેજમા આવેલા ઓમ નગર સોસાયટી છેલ્લા 3 દિવસથી કમર સુધી પાણીમાં ગરકાવ છે. જે ખાડીની એકદમ નજીક છે. તેમના પૂલમાં ભંગાણ થયેલું છે. જે ઓમ નગરના રહેવાસી માટે એક જ રસ્તો છે. પૂલનું ગાબડું વધતું જાય છે. બીજો રસ્તો જે રાજેશ્વરી સોસાયટી વાળાઓએ બંધ કરી દીધો છે. ઓમ નગરના રહીશોને તકલીફમાથી ઉગારવા માટે લોકો આજીજી કરી રહ્યાં છે.