Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલા સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાયનેક ડૉકટરોના અભાવે ગર્ભવતી અને પ્રસૂતા મહિલાઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આરોગ્યની કથળતી પરિસ્થિતિ વચ્ચે હવે ગાયનેક ડૉક્ટરો પણ સરકારી હોસ્પિટલમાં અભાવ જોવા મળી રહ્યો છે.

