World news: વર્ષોથી ગૃહયુધ્ધનો સામનો કરી રહેલા હુતીઓના દેશ યમનમાં ભારતની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઇના રોજ મુત્યુદંડ આપવામાં આવશે. નિમિષાને યમન નાગરિક તલાલ મહેદીની હત્યામાં કસૂરવાર ઠરાવવામાં આવી છે.આ ભારતીય મહિલાને મુત્યુદંડની સજામાંથી બચાવવાના પ્રયત્નો લગભગ નિષ્ફળ ગયા છે. યમન દેશના મોટા ભાગ પર હુથી વિદ્રોહીઓનું નિયંત્રણ છે.

