Turkish Warship Reaches Karachi: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા. ત્યારબાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. એક તરફ ભારતીય નૌસેના યુદ્ધાભ્યાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ તૂર્કિયેનું એક યુદ્ધ જહાજ TCG Büyükada પાકિસ્તાનના કરાચી બંદર પર પહોંચ્યું છે, જેને બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગ વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

