સુરેન્દ્રનગરમાં નબીરાઓના જીવલેણ સ્ટંટનો મામલો સામે આવ્યો છે, જેમાં એક મોપેડ ચાલકે ટાવર અને રતનપરના બ્રિજ પર ધોળા દિવસે ખતરનાક સ્ટંટ કર્યા. આ નબીરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સ્ટંટનો વીડિયો વાયરલ કર્યો, જેનાથી ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકાયો પરંતુ બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા પણ ભયમાં મૂકાઈ હતી.